Sunday, June 22News That You Want to Read

National

ક્રાઈમ બ્રાન્ચ, DNHDD અને કચીગામ પોલીસ સ્ટેશન, દમણ દ્વારા સંયુક્ત રીતે મોબાઈલ શોપ ચોરીનો કેસ ઉકેલાયો-પાંચ (05) આંતરરાજ્ય આરોપીઓની ધરપકડ, ચોરાયેલા મોબાઈલ જપ્ત

ક્રાઈમ બ્રાન્ચ, DNHDD અને કચીગામ પોલીસ સ્ટેશન, દમણ દ્વારા સંયુક્ત રીતે મોબાઈલ શોપ ચોરીનો કેસ ઉકેલાયો-પાંચ (05) આંતરરાજ્ય આરોપીઓની ધરપકડ, ચોરાયેલા મોબાઈલ જપ્ત

Gujarat, National
07/05/2025 ના રોજ સંઘપ્રદેશ દમણના કચીગામ ચાર રસ્તા નજીક શિવ કોમ્પ્લેક્સ, એસ.એસ. ટેલિકોમ ખાતે થયેલી ચોરી અંગે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 305, 331(4), અને 61(2) હેઠળ કચીગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ બાદ દમણ પોલીસે ગુનામાં સંડોવાયેલા (1) આઝાદ મુસ્તાક પઠાણ, (2) દિવાન સિંહ @રાહુલ ઓમપ્રકાર થોમર, (3) રાજપતિ સંતરામ પાલ, (4) શંકર રામદયાલ મૌર્ય, (5) શિવમ અશોક પાંડે નામના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે દમણ પોલીસે આપેલી વિગતો મુજબ ફરિયાદી સમીર ચુનારાએ 10 મોબાઈલ ફોન, 67,500 રૂપિયા રોકડા અને 12,000 રૂપિયાના મોબાઈલ એસેસરીઝની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. કુલ 2.10 લાખ રૂપિયાની ચોરીનો અંદાજ વ્યક્ત કર્યો હતો. આ ઘટના બાદ, પોલીસ અધિક્ષક (મુખ્ય મથક અને ક્રાઇમ) ના નિર્દેશો અનુસાર સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ અને કચીગામ પોલીસ સ્ટેશન સહિત અનેક પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. વિવિધ પોલીસ ટીમો દ્વારા વાપી...
વલસાડના દરેક તાલુકાઓમાં તારીખ 19 મે ના રોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર ભરતી કેમ્પ યોજાશે

વલસાડના દરેક તાલુકાઓમાં તારીખ 19 મે ના રોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર ભરતી કેમ્પ યોજાશે

Gujarat, National
હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માને સિવિલ ડિફેન્સના નિયંત્રક તરીકેના હુકમો સરકાર તરફથી કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે સ્વયંસેવકની નોંધણી કરાશે. જે લોકો રાષ્ટ્રસેવા કરવા માટે સિવિલ ડિફેન્સમાં જોડાવા માગતા હોય તેઓ રજીસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઈઝનો એક ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, લાઈટ બિલ/ મિલકત વેરા પૈકી કોઈ પણ બે પુરાવા સાથે રાખવા. સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટેની લાયકાતમાં ઓછામાં ઓછુ ધોરણ 4 પાસ અને 18 વર્ષ કે તેથી ઉપરના નિરોગી, તંદુરસ્ત વ્યક્તિઓ અને ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ. આ સ્વયંસેવકો તરીકે માજી સૈનિકો, પોલીસમિત્ર, એનએસએસ, એનસીસી વોલન્ટિયર, સ્થાનિક તરવૈયાઓ, આપદા મિત્રો, ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારીઓ, એનજીઓ વગેરેને પ્રાધાન્ય આપવામાં આવશે....
પર્યટન પછી શિક્ષણ ક્ષેત્રે પણ તુર્કીયે સાથે છેડો ફાડતી ભારતની સંસ્થાઓ

પર્યટન પછી શિક્ષણ ક્ષેત્રે પણ તુર્કીયે સાથે છેડો ફાડતી ભારતની સંસ્થાઓ

National, News
Vihar Vaishnav, હૈદરાબાદ: મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિવર્સિટી (MANUU) એ ગુરુવારે યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ, તુર્કીયે સાથેના તેના શૈક્ષણિક સમજૂતી કરાર (MoU) ને તાત્કાલિક અસરથી રદ કરવાની જાહેરાત કરી. ભારત-પાકિસ્તાન તણાવની પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓને તુર્કીયે દ્વારા સમર્થન આપવાના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ 2 જાન્યુઆરી, 2024 ના રોજ યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ, તુર્કીયે સાથે પાંચ વર્ષ માટે એક એમઓયુ કર્યા હતા, જે અંતર્ગત ભાષા, ભાષાશાસ્ત્ર અને ઇન્ડોલોજી સ્કૂલમાં ટર્કિશ ભાષામાં ડિપ્લોમા શરૂ કરવામાં આવ્યો હતો. આ માટે એક વિઝિટિંગ પ્રોફેસરની સેવાઓ લેવામાં આવી હતી.  MANUUના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તુર્કીયેથી આવેલા વિઝિટિંગ પ્રોફેસર પહેલાથી જ પોતાના દેશ પરત ફર્યા છે. આ નિર્ણય સાથે, MANUU તુર્કીયેની શૈક્ષણિક સંસ્થાઓ સાથેના સહયોગમાંથી ખસી જતી ભા...
Miss World 2025 સ્પર્ધાની આ ઘટનાએ મચાવ્યો હોબાળો !

Miss World 2025 સ્પર્ધાની આ ઘટનાએ મચાવ્યો હોબાળો !

National, News
Vihar Vaishnav : હૈદરાબાદમાં હાલ 72મી મિસ વર્લ્ડ સ્પર્ધા ચાલી રહી છે. આ સ્પર્ધામાં તેલંગાણાની મહિલાઓ દ્વારા મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોવાનાની એક બાબતે હોબાળો મચી ગયો છે. આ અંગેની એક ક્લિપ વાઈરલ થઈ છે જેમાં સ્પર્ધકો પરંપરાગત વસ્ત્રોમાં બેઠા છે અને સ્થાનીક મહિલાઓ પિત્તળના વાસણોનો ઉપયોગ કરીને તેમના પગ પર પાણી રેડી રહી છે અને સ્પર્ધકો માટે ટુવાલ લાવતી પણ નજરે પડી રહી છે.તેલંગાણાની મહિલાઓએ મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોવા પર BRS એ કોંગ્રેસ સરકારની ટીકા કરી, અને તેને શરમજનક ગણાવ્યું છે. આ અંગે રાજ્યના ભૂતપૂર્વ મંત્રી અને બીઆરએસના વરિષ્ઠ ધારાસભ્ય પી. સબિતા ઇન્દ્ર રેડ્ડીએ કોંગ્રેસ સરકારની ટીકા કરતા કહ્યું કે, આ કૃત્ય રાજ્યમાં મહિલાઓના ગૌરવનું ઘોર અપમાન છે. આ ઘટના સંદર્ભે તેમણે મહિલા સશક્તિકરણ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પર પ્રશ્ન ઉઠાવ્યો. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા, BRS ના કાર્યકારી પ્રમુખ ક...
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસઃ વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રની અસરકારક કામગીરીને પગલે જીવલેણ ડેન્ગ્યુને નાથવામાં મળી સફળતા

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસઃ વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રની અસરકારક કામગીરીને પગલે જીવલેણ ડેન્ગ્યુને નાથવામાં મળી સફળતા

Gujarat, National
ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી, માહિતી બ્યુરો, વલસાડ ડેન્ગ્યુ એટલે ગંભીર વાયરલ રોગ. જે એડીસ ઈજિપ્ત મચ્છર કરડવાથી થાય છે. ડેન્ગ્યુનો તાવ એ ગંભીર પ્રકારનો તાવ છે. જેમાં રક્તસ્ત્રાવ થાય છે. કોઈક વાર મગજને આઘાત પહોંચતા માણસનું મૃત્યુ પણ થાય છે. જેથી દર વર્ષે તા. 16 મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડેન્ગ્યુના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ લોકોને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગથી જાગૃત કરવાનો છે. કારણ કે આજે પણ લોકોમાં ડેન્ગ્યુ જેવા ગંભીર તાવ અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે. ડેન્ગ્યુને અટકાવવા માટે જરૂરી પગલાંને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક કામગીરી થતા ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં...
રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજય સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઈન્ડિયન પોટાશ લિમિટેડની વિઝિટ લીધી

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજય સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઈન્ડિયન પોટાશ લિમિટેડની વિઝિટ લીધી

Gujarat, National
રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ અને  સહકાર રાજ્ય મંત્રીશ જગદીશ વિશ્વકર્માએ ગુરુવારે વલસાડના પારનેરા પારડી ખાતે ઇન્ડિયન પોટાશ લિમિટેડ સંચાલિત વલસાડ સુગર ફેકટરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ યોજાયેલી બેઠકમાં રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઇન્ડિયન પોટાશ લિ. ના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી હતી. રાજય સરકારના સહકાર વિભાગના ધારાધોરણ મુજબ સભાસદો(ખેડૂતો)ને તેમની શેરડીના પિલાણના મહત્તમ ભાવો સમયમર્યાદામાં મળે અને હાલના જે સભાસદો છે તેમાં વધારો થાય તેમજ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ સુગર ફેક્ટરીનો લાભ લે તે જોવા જણાવ્યું હતું. આ બેઠકમાં રાજયના સહકાર સચિવ સંદીપકુમાર, ખાંડ નિયામક એચ. એન. પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર એચ. એન. કાછડ, પ્રાંત અધિકારી વિમલ પટેલ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા....
#Operation Sindoor ની જ્વલંત જીતને બિરદાવતા દેશના અનેક રેલવે સ્ટેશનો ત્રિરંગી રોશનીમાં ઝળહળ્યા

#Operation Sindoor ની જ્વલંત જીતને બિરદાવતા દેશના અનેક રેલવે સ્ટેશનો ત્રિરંગી રોશનીમાં ઝળહળ્યા

National, News
Vihar Vaishnav, Hyderbad : Operation Sindoor ની જ્વલંત જીતને બિરદાવતા દેશના અનેક રેલવે સ્ટેશનો ત્રિરંગી રોશનીમાં ઝળહળ્યા#Operation Sindoor: ભારતીય રેલ્વેએ ભારતભરના રેલ્વે સ્ટેશનોને ત્રિરંગાથી પ્રકાશિત કરીને ભારતીય સેનાની બહાદુરી અને હિંમતને સલામ કરી.જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતક આતંકવાદી હુમલાના જવાબમાં 7 મેના રોજ શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર' ની સફળતાની ઉજવણી કરવા માટે ભારતભરના અનેક રેલ્વે સ્ટેશનો ત્રિરંગાથી ઝળહળ્યા. ગુજરાતનું એકતાનગર રેલ્વે સ્ટેશન, વીરોને સમર્પિત, ત્રિરંગાના પ્રકાશથી પ્રકાશિત થયું, તો મહારાષ્ટ્રના મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રાષ્ટ્રના ગૌરવને પ્રતિબિંબિત કરી કેસરી, સફેદ અને લીલા રંગની આકર્ષક રોશનીથી ઝળહળ્યુ. સેન્ટ્રલ રેલ્વેના સીપીઆરઓ ડૉ. સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, "છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને #Operation Sindoorની સફળતા...
વાપી મહાનગરપાલિકાએ 3 સ્ટેજમાં શરૂ કરી પ્રિમોન્સૂન કામગીરી, 30 દિવસમાં વૉટર લોગીંગ, કચરો, ગંદકી અને ચાલુ વરસાદમાં પાણી ભરાવાના પ્રશ્નોનો નિવેડો લાવવા મનપા સજ્જ

વાપી મહાનગરપાલિકાએ 3 સ્ટેજમાં શરૂ કરી પ્રિમોન્સૂન કામગીરી, 30 દિવસમાં વૉટર લોગીંગ, કચરો, ગંદકી અને ચાલુ વરસાદમાં પાણી ભરાવાના પ્રશ્નોનો નિવેડો લાવવા મનપા સજ્જ

Gujarat, National
ચોમાસા આડે હવે એકાદ મહિનો જ બચ્યો છે. ત્યારે, વાપી મહાનગરપાલિકાએ ત્રણ સ્ટેજમાં 30 દિવસમાં પ્રિમોન્સૂન કામગીરી આટોપી લેવાનો સંકલ્પ લીધો છે. જે અંગે વાપી મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશ્નર અશ્વિન પાઠકે વિગતો આપી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ અશ્વિન પાઠકે જણાવ્યું છે કે, વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એકાદ સપ્તાહથી યુદ્ધના ધોરણે પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરી દીધી છે.  ત્રણ સ્ટેજમાં આ કામગીરી ચાલશે. જેમાં પ્રથમ 10 દિવસમાં મનપાના એવા વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. જ્યાં વોટર લોગિંગના પ્રશ્નો ઉદ્ભવી શકે છે. જે અંતર્ગત મોટી ખનકીઓ સહિતના સ્થળોની સાફસફાઈની કામગીરી આટોપવામાં આવશે. જે બાદના 10 દિવસમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં કચરો ગંદકી દૂર કરવામાં આવશે. ગટરની સાફ-સફાઈ કરવામાં આવશે. જે પછીના અંતિમ દસ દિવસ એવા સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જ્યાં ચાલુ વરસાદમાં વોટર લોગીંગના પ્રશ્નો ઊ...
BJPનો સામનો કરવા આમણે લેવી પડશે AIની તાલીમ !

BJPનો સામનો કરવા આમણે લેવી પડશે AIની તાલીમ !

National, News
વિહાર વૈશ્નવ, હૈદરાબાદ: હવે, AI રાજકારણમાં પણ પ્રવેશ કરી રહ્યું છે. ડિસેમ્બર 2023ની વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વળવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપનો સામનો કરવા માટે કૉંગ્રેસ આ ડિજિટલ પરિવર્તન લાવવા તરફ વળી રહી છે. નવા યુગની ટેકનોલોજી વિવિધ ક્ષેત્રોના વ્યાવસાયિકો માટે એક અનિવાર્ય સાધન બની રહી છે, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એક મહત્વપૂર્ણ શક્તિ તરીકે ઉભરી આવ્યું છે.એક સમયે ફક્ત વિશિષ્ટ ક્ષેત્રો સુધી મર્યાદિત રહેતા, AI, દવા, માર્કેટિંગ, એન્જિનિયરિંગ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી સહીત અનેક વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યુું છે. રાજકીય પક્ષોના સત્તાવાર હેન્ડલ્સ માટે ફૉટોઝ અને સોશિયલ મીડિયા સામગ્રી જનરેટ કરવા માટે AI નો ઉપયોગ પહેલાથી જ થઈ રહ્યો છે, ત્યારે હવે એક નવો ...
તિરૂપતિ-તિરુમાલા ખાતે VIP બ્રેક દર્શન 15મી મેથી ફરી શરૂ થશે

તિરૂપતિ-તિરુમાલા ખાતે VIP બ્રેક દર્શન 15મી મેથી ફરી શરૂ થશે

National, News
વિહાર વૈશ્નવ, હૈદરાબાદ:  એક મહત્વપૂર્ણ અપડેટમાં, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ આગામી 15મી મેથી VIP બ્રેક દર્શન ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. તિરુમાલા: દક્ષિણ ભારતના પ્રસિદ્ધ એવા તિરૂપતિ મંદિર તરફથી યાત્રાળુઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટમાં, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ 15 મેથી VIP બ્રેક દર્શન ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉનાળામાં નિયમિત યાત્રાળુઓ માટે સરળ પ્રવેશ સુવિધાને સુનિશ્ચિત કરવાના હેતુથી VIP ભલામણ પત્રોને એક મહિના માટે કામચલાઉ ધોરણે સ્થગિત કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.આંધ્રપ્રદેશના એન્ડોવમેન્ટ એટલે કે દાન-ધર્મ ખાતાના મંત્રી અનમ રામનારાયણ રેડ્ડીએ જણાવ્યું હતું કે, તાજેતરના દિવસોમાં ખાસ દર્શન બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેના સાંસદો, ધારાસભ્યો અને MLC ના ભલામણ પત્રો ધરાવતા લોકો માટે ફરી એકવાર આ સેવા ઉપલબ્ધ થશે. તિરુમાલા ખાતે ભીડમાં ઘટા...