સરીગામ ખાતે આવેલ શ્રીમતી.શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં તારીખ ૧૬ જૂન,૨૦૨૫ના રોજ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં CBSE બોર્ડ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓનો “સન્માન સમારોહ” યોજાયો.
લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલમાં માર્ચ દરમિયાન લેવાયેલી CBSE બોર્ડની પરીક્ષામાં ધોરણ-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ કે જેઓએ પોતાના અથાગ મેહનત તથા માતા-પિતા, વાલીઓ અને શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને મેહનતથી પરીક્ષામાં A1 ગ્રેડ અને A2 ગ્રેડ મેળવી શાળા તથા ગજેરા ટ્રસ્ટનું નામ રોશન કર્યું છે.તેવા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગજેરા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી.વસંતભાઈ ગજેરા હાજર રહી,બાળકો અને વાલીઓને તેમના અનુભવોથી પ્રોત્સાહિત કરી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી પ્રાતઃ વંદના કરીને વિવિધ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
શ્રી વસંતભાઈ ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણ પવારે તમામ વિદ્યાર્થીઓને તેમના અદભુત પ્રદર્શન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને આગામી વર્ષોમાં ઉજ્જવળ ભવિષ્ય સાથે પ્રગતિના પથ પર આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી.