વાપીની જનસેવા હોસ્પિટલમાં સ્વ. ઈન્દુકાકાની પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ: 14 ઓગસ્ટ સુધી OPD ફ્રી, તપાસમાં 20% ડિસ્કાઉન્ટ
વાપી: વાપી સ્થિત શ્રેયસ મેડિકેર સંચાલિત એમ.એન. મહેતા (વલવાડા) જનસેવા હોસ્પિટલમાં સ્વ. શ્રી ઈન્દ્રવદનભાઈ શાહ (ઈન્દુકાકા)ની ચોથી પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
5th એડિશન NABH માન્યતા પ્રાપ્ત આ હોસ્પિટલ દ્વારા સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા આ કેમ્પનો પ્રારંભ 04 ઓગસ્ટ, 2025ના રોજ થયો હતો. આ શિબિર 14 ઓગસ્ટ, 2025 સુધી ચાલશે (રવિવાર સિવાય).
આ શિબિરનો શુભારંભ ઈન્દુકાકાના પુત્ર હરિનભાઈ, બહેન શ્રીમતી ધર્મિષ્ઠા ત્રિવેદી, શ્રી જનસેવા મંડળના ટ્રસ્ટી હેમંત દેસાઈ, શ્રેયસ મેડિકેરના મેનેજિંગ ટ્રસ્ટી સુરેખ દેસાઈ, ટ્રસ્ટીગણ વિનય દેસાઈ અને દીપક અગરવાલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના તમામ કન્સલ્ટન્ટ ડોકટરો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આ કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, હાડકાની તપાસ, બાળરોગ, સ્ત...
