કોલવેરા-કોલક પાર્ટ-3: પ્રવાસન વિભાગે હિલ સ્ટેશન તરીકે જાહેર કરેલા કોલવેરા હિલ સ્ટેશન પર વન વિભાગની વૃક્ષારોપણ ઝુંબેશ શંકાના ઘેરામાં!
કોલવેરા હિલ સ્ટેશનનો વિકાસ પ્રવાસીઓને આકર્ષવા ઉપરાંત સ્થાનિક લોકો માટે રોજગારીની તકો પણ ઊભી કરશે. પ્રવાસીઓ માટે આ સ્થળ એક આદર્શ ટૂરિસ્ટ પોઇન્ટ બની શકે છે. પરંતુ આ ઉમદા પહેલની વચ્ચે વન વિભાગની શંકાસ્પદ ભૂમિકા ચર્ચાનો વિષય બની છે. પ્રવાસન વિભાગે કોલવેરાને હિલ સ્ટેશન જાહેર કર્યું એટલે જ વન વિભાગ અચાનક સફાળું જાગ્યું છે. તેની પાછળનો હેતુ અને સમય શંકા ઉપજાવે છે. વન વિભાગે આ પર્વતને વર્ષો સુધી રઝળતો છોડી દીધો હતો, અને હવે જ્યારે તેનું પ્રવાસન મૂલ્ય વધ્યું છે, ત્યારે અચાનક વૃક્ષારોપણની ઉતાવળ શા માટે?
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલો કોલવેરા પર્વત પોતાના રમણીય સૌંદર્ય અને ઠંડકભર્યા વાતાવરણ માટે પ્રખ્યાત છે. આ પર્વતની નૈસર્ગિક સુંદરતાને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિભાગ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ તેને હિલ સ્ટેશન તરીકે વિકસાવવાની ઉમદા પહેલ હાથ ધરી છે.
આ પગલું નિઃશંકપણે વલસાડ જિલ્લાના પ્રવ...
