Saturday, June 21News That You Want to Read

Tag: Lord Venkateswara

તિરૂપતિ-તિરુમાલા ખાતે VIP બ્રેક દર્શન 15મી મેથી ફરી શરૂ થશે

તિરૂપતિ-તિરુમાલા ખાતે VIP બ્રેક દર્શન 15મી મેથી ફરી શરૂ થશે

National, News
વિહાર વૈશ્નવ, હૈદરાબાદ:  એક મહત્વપૂર્ણ અપડેટમાં, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ આગામી 15મી મેથી VIP બ્રેક દર્શન ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. તિરુમાલા: દક્ષિણ ભારતના પ્રસિદ્ધ એવા તિરૂપતિ મંદિર તરફથી યાત્રાળુઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટમાં, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ 15 મેથી VIP બ્રેક દર્શન ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉનાળામાં નિયમિત યાત્રાળુઓ માટે સરળ પ્રવેશ સુવિધાને સુનિશ્ચિત કરવાના હેતુથી VIP ભલામણ પત્રોને એક મહિના માટે કામચલાઉ ધોરણે સ્થગિત કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.આંધ્રપ્રદેશના એન્ડોવમેન્ટ એટલે કે દાન-ધર્મ ખાતાના મંત્રી અનમ રામનારાયણ રેડ્ડીએ જણાવ્યું હતું કે, તાજેતરના દિવસોમાં ખાસ દર્શન બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંનેના સાંસદો, ધારાસભ્યો અને MLC ના ભલામણ પત્રો ધરાવતા લોકો માટે ફરી એકવાર આ સેવા ઉપલબ્ધ થશે. તિરુમાલા ખાતે ભીડમાં ઘટા...