
વલવાડાના સંઘાડી ફળિયામાં આદિવાસીઓની જમીન પર માપણી કરવા આવનાર GIDC ના અધિકારીઓ સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો… શું.. ટ્રાન્સપોર્ટ નગર બનાવવા આદિવાસીઓને બેઘર કરવાનું આ કોઈ મોટું ષડયંત્ર છે?
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં આવેલ સંઘાડીપાડા ફળિયામાં વર્ષોથી રહેતા અને 7x12 સહિત ખેતીની અને રહેણાંકની જમીનના હક્ક ધરાવતા અદિવાસીઓની જમીનો પર GIDC ના અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે જમીન માપણી ની કાર્યવાહી હાથ ધરતા ગામના આદિવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ અંગે GIDC ના અધિકારીઓ તરફથી કોઈ વિગતો આપવામાં આવી નથી. પરંતુ જમીન માલિક આદિવાસી પરિવારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અહીં ટ્રાન્સપોર્ટ નગર બનાવવા માટે સરકાર તેમને ધાકધમકી આપી બેઘર કરી રહ્યાં છે. ખેતીની જમીન વિહોણા કરી રહ્યા છે.
ગામલોકોએ જણાવ્યું હતું કે, વલવાડાના સંઘાડી પાડામાં તેમની માલિકીની જગ્યા છે. તે GIDC લેવા માંગે છે. અહીં મોટી સંખ્યામાં આદિવાસી પરિવારો બાપદાદાથી ખેતી કરીને ગુજરાન ચલાવે છે. જમીનના 7X12ના ઉતારા પણ તેમની પાસે. તેમ છતાં અધિકારીઓ આ જમીન સંપાદન થઈ ચૂકી હોવાની વાત કરી જમીનની માપણી કરી જમીનો છીનવી રહ...