
સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે ગુરુવારે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓ અને બીજે મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડૉક્ટરની આત્મશાંતિ માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીએ દુર્ઘટનાનું વિવરણ આપ્યું, જે બાદ ભગવાનની ધૂન બોલાવી મૃતાત્માઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા. મૃતકોના પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી. સભામાં પૂજ્ય રામ સ્વામી, પૂજ્ય માધવ સ્વામી, મંડળના સભ્ય બાબુભાઈ, ડાયરેક્ટર ડૉ. શૈલેષ લુહાર, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા....