વાપીના દેસાઈવાડ રહેતા 75 વર્ષીય પુરૂષ દર્દીનું કોવિડ- 19 નું સેમ્પલ લઇ સ્ટરનીંગ એકયુરસી લેબ સુરત ખાતે ટેસ્ટિંગ માટે મોકલતા કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં કુલ 83 એક્ટિવ કેસ નોંધાયા છે. એ જ રીતે સમગ્ર ભારતમાં કુલ 1010 કોરોના કેસ નોંધાયા છે. જેમાં એકલા કેરળમાં જ 430 કેસ નોંધાયા છે.
વાપીમાં કોરોના પોઝિટિવ આવેલ વૃદ્ધ થોડા દિવસ પહેલા વિરમગામ- શંખેશ્વર ખાતે મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 અસરગ્રસ્ત વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને કોરોનટાઈન એક્ટીવીટી શરૂ કરી દેવામાં આવી છે. હાલ દર્દી વાપીની શ્રધ્ધા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
ગુજરાતમાં કોરોના કેસની સ્થિતિ વિશે આરોગ્ય વિભાગ તરફથી મળતી વિગતો મુજબ રાજ્યમાં કુલ 83 થી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે. જોકે, આજે નોંધાયેલા નવા કેસની ચોક્કસ સંખ્યા વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. તાજેતરના રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં 16 મેથી 20 મે દરમિયાન 7 કેસ અને 23 મે સુધીમાં બે દિવસમાં 22 નવા કેસ નોંધાયા હતા, જેમાં એક પાંચ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત, રાજકોટ, જામનગર, અને સુરતમાં પણ કેસ નોંધાયા છે, પરંતુ ચોક્કસ દૈનિક આંકડા ઉપલબ્ધ નથી. ભારતમાં કોરોના કેસની સ્થિતિ અંગે જોઈએ તો, દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1010ને પાર કરી ગઈ છે. રાજ્યવાર કેસની વિગતોમાં કેરળમાં સૌથી વધુ 430 એક્ટિવ કેસ. મહારાષ્ટ્રમાં 210 એક્ટિવ કેસ. દિલ્હીમાં 104 એક્ટિવ કેસ. કર્ણાટક માં 47 એક્ટિવ કેસ, તામિલનાડુ માં 69 એક્ટિવ કેસ અને અન્ય રાજ્યોમાં પણ કેસ નોંધાયા છે,
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં જ છેલ્લા એક સપ્તાહમાં 76 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસનો નવો વેરિયન્ટ JN-1 ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય તંત્ર એલર્ટ પર છે. દેશભરમાં નોંધાયેલ કુલ કોરોના એક્ટિવ કેસ પૈકી મહારાષ્ટ્રમાં 3 કોરોના દર્દીના મોત નિપજ્યા છે. કેરળમાં કોરોનાએ 2 દર્દીનો ભોગ લીધો છે. કર્ણાટક માં પણ એક દર્દીનું મૃત્યુ થયું છે.