માર્ગ અકસ્માતોમાં અજાણ્યા વાહનોની ટક્કરથી જીવ ગુમાવનારા 21 લોકોના પરિવારોને વળતરના હુકમ આપવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના હસ્તે, હિટ એન્ડ રન કેસના ૨૧ મૃતકોના વારસદારોને રૂ. 2 લાખનું વળતર મંજૂર કરવામાં આવ્યું છે. આ સહાય કેન્દ્ર સરકારની ‘Compensation to victims of Hit and Run Motor Accident Scheme, 2022’ હેઠળ આપવામાં આવી છે.
આ યોજના અંતર્ગત, હિટ એન્ડ રનના કિસ્સામાં મૃત્યુ થાય તો રૂ. 2 લાખ અને ગંભીર ઈજા થાય તો રૂ. ૫૦ હજારનું આર્થિક વળતર મળે છે. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના અધ્યક્ષપણા હેઠળ રચાયેલી કમિટીએ આ અરજીઓને મંજૂરી આપી છે.
જો તમારા પરિવારમાં પણ કોઈ આવા આકસ્મિક બનાવનો ભોગ બન્યું હોય અને અજાણ્યા વાહનની ટક્કરથી મૃત્યુ કે ઈજા થઈ હોય, તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. આ માટે, તમે કલેક્ટર કચેરીની નાયબ ચીટનીશ શાખા અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો. આ યોજના નિરાધાર બનેલા પરિવારો માટે એક આશાનું કિરણ બની રહી છે.
![]()


