સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની સોનેરી સફળતા
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ.) દ્વારા સમર-2025માં લેવાયેલી બી.ફાર્મસીના બીજા વર્ષના ચોથા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ 23 જુલાઈ, 2025ના રોજ જાહેર થયું. આ પરિણામમાં સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજે દર વર્ષની જેમ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં સ્થાન મેળવી પોતાની પરંપરા જાળવી રાખી છે.
આ પરીક્ષામાં કોલેજની 7 વિદ્યાર્થીનીઓએ જી.ટી.યુ. ટોપ ટેનમાં સ્થાન હાંસલ કર્યું, જ્યારે 45 વિદ્યાર્થીઓએ 8.00થી વધુ એસ.પી.આઈ. મેળવી કોલેજ અને સંસ્થાનું ગૌરવ વધાર્યું. ખાસ કરીને, નંદિની મનોજકુમાર વર્માએ 9.69 એસ.પી.આઈ. સાથે જી.ટી.યુ.માં પ્રથમ ક્રમ, જીગીષા ભટ્ટાચાર્યએ 9.62 એસ.પી.આઈ. સાથે દ્વિતીય ક્રમ, વંશી પટેલે 9.54 એસ.પી.આઈ. સાથે ચોથો ક્રમ, ચાર્મી ચેતન ભગતે 9.46 એસ.પી.આઈ. સાથે સાતમો ક્રમ અને ભંડારી ફેન્સી નીલેશભાઈએ 9.46 એસ.પી.આઈ. સાથે આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો. આ ઉપરાંત, સી.પ...

