
ઉમરગામમાં 9 વર્ષથી નાસતા ફરતા હત્યાના આરોપીને વલસાડ LCB એ દબોચી લીધો, આરોપીએ પ્રેમિકા અને સાસુ સાથે મળી પ્રેમિકાના પતિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હતી
વર્ષ 2016માં ઉમરગામ પોલીસ મથક વિસ્તારમાં એક યુવકની કુવામાંથી લાશ મળી હતી. જે તે વખતે આ યુવકની ઓળખ દિનેશ રંગીલાલ તરીકે થઈ હતી. અને તેની હત્યા તેમની પત્ની, સાસુ અને પત્નીના પ્રેમીએ કરી હોવાનો ખુલાસો થયો હતો. જેમાં મૃતકની પત્ની અને સાસુની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર એવો મહાદેવ પ્રસાદ ફરાર થઇ ગયો હતો. જેને 9 વર્ષ બાદ 2025માં LCB પોલીસે દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, મૃતક દિનેશ રંગીલાલને મોતને ઘાટ ઉતારી તેના પગે દોરી તથા મોઢાના ભાગે કપડુ બાંધી તેની લાશને સંજાણ ફણસપાડા, કોલી ખાડી પાસે આવેલ પડતર કુવાના પાણીમાં ફેંકી દીધી હતી. વર્ષ 2016ની આ ચકચારી ઘટનામાં 3 આરોપીઓ પૈકી 2ની અટક કરવામાં આવી હતી. અને આરોપી મહાદેવ પ્રસાદ ઉર્ફે રાજુ રામલોટન યાદવ ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
જે ...