Wednesday, February 18News That You Want to Read

ગણેશ મહોત્સવમાં શિવાજીના ઈતિહાસ અને આધુનિક AIનો અનોખો સંગમ: ધરમપુરના દસોંદી ફળિયામાં ‘બોલતા ગણપતિ’નું સ્થાપન

ધરમપુર, દસોંદી ફળિયું: ધરમપુરના દસોંદી ફળિયામાં આ વર્ષે ગણેશોત્સવ પરંપરા અને આધુનિકતાના અનોખા સંગમ સાથે ઉજવાઈ રહ્યો છે. યુવા શક્તિ યુવક મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના ઐતિહાસિક કિલ્લાની થીમ પર ભવ્ય સજાવટ કરવામાં આવી છે. આ સાથે, ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ગણપતિ બન્યા છે, જે ભક્તો સાથે વાતચીત કરી તેમને ધાર્મિક માર્ગદર્શન અને આશીર્વાદ આપે છે.

76 વર્ષથી અકબંધ પરંપરા:

દસોંદી ફળિયાનો ગણેશ ઉત્સવ છેલ્લા 76 વર્ષથી પોતાની આગવી પરંપરા જાળવી રહ્યો છે. ગણપતિદાદાની માટીની મૂર્તિ દહાણુના એક જ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. ચતુર્થીના દિવસે વહેલી સવારે ભજનો સાથે મૂર્તિને આખા ફળિયામાં ફેરવીને ત્યારબાદ મંદિર ખાતે સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે.

AI ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર:

આ વર્ષે શિવાજી મહારાજના શૌર્ય અને પરાક્રમને ઉજાગર કરતી કિલ્લાની થીમ સાથે “બોલતા બાપ્પા – AI વિઘ્નહર્તા ગણપતિ”નો બુથ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ આધુનિક AI ગણપતિ ભક્તો સાથે વાર્તાલાપ કરીને તેમને એક નવીન અનુભવ કરાવી રહ્યા છે.

મહાનુભાવોની ઉપસ્થિતિ:

ઉત્સવ દરમિયાન અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ મુલાકાત લીધી હતી, જેમાં સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધરમપુર નગર પ્રમુખ અમિત ચોરેરા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ રીતે, દસોંદી ફળિયાના આ ગણેશોત્સવમાં ભક્તોને એક તરફ શિવાજી મહારાજના ઈતિહાસ અને બીજી તરફ આધુનિક ટેકનોલોજીનો અદ્ભુત અનુભવ મળી રહ્યો છે.

 

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *