Wednesday, February 18News That You Want to Read

દિવાળીની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ દિવાળીની પૂર્વ સંધ્યાએ પોતાના સાથી નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે.

Advertisement

એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, “દિવાળીના શુભ પ્રસંગે, હું ભારત અને વિશ્વભરના તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

Advertisement

ભારતના સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક, દિવાળી, ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશ, અજ્ઞાન પર જ્ઞાન અને ખરાબ પર સારાના વિજયનું પ્રતીક છે. દેશભરમાં ભારે ઉત્સાહથી ઉજવવામાં આવતો, દિવાળીનો શુભ પ્રસંગ પરસ્પર સ્નેહ અને ભાઈચારાનો સંદેશ આપે છે. આ દિવસે, ભક્તો સંપત્તિ અને સમૃદ્ધિની દેવી, દેવી લક્ષ્મીની પૂજા કરે છે.

આનંદનો આ તહેવાર આત્મચિંતન અને આત્મ-સુધારણાનો પણ પ્રસંગ છે. આ તહેવાર વંચિતો અને જરૂરિયાતમંદોને મદદ અને ટેકો આપવાનો અને તેમના જીવનમાં આનંદ લાવવાનો પણ એક અવસર છે.

હું દરેકને સુરક્ષિત રીતે, જવાબદારીપૂર્વક અને પર્યાવરણને અનુકૂળ રીતે દિવાળી ઉજવવા વિનંતી કરું છું. આ દિવાળી બધા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.”

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *