સરીગામમાં યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્વ. કમલાશંકર એસ. રાય ની 22મી પુણ્યતિથીએ 1670 યુનિટ રક્ત એકત્ર કરી મહારક્તદાન શિબિરના સૂત્રને સાર્થક કર્યું
ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે યોજાયેલા અનોખા મહારક્તદાન શિબિરમાં 1670 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે, જે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી આયોજિત કરવામાં આવે છે. આ શિબિર સ્વર્ગસ્થ કમલાશંકર એસ. રાય, જેઓ સરીગામ અને ઉમરગામ તાલુકાના એક લોકપ્રિય સામાજિક અને રાજકીય અગ્રણી હતા, તેમની પુણ્યતિથિ નિમિત્તે યોજાય છે. જેમાં આ વર્ષે 31મી જુલાઈ 2025ના રોજ યોજાયેલ રક્તદાન શિબિરમાં રેકોર્ડ બ્રેક 1670 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે.
આ વર્ષે, સ્વ. કમળાશંકર રાયની 22મી પુણ્યતિથિ નિમિત્તે, ફરી એકવાર આ ભવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાકેશ રાયે જણાવ્યું કે, આ શિબિર બાપુજીની યાદમાં એક રેકોર્ડ તરફ જઈ રહી છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગયા વર્ષના 1175 યુનિટના રેકોર્ડને તોડીને આ વર્ષે 1670 યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક હાંસિલ કર્યો છે.
યુવા શક્તિ ચેરિટેબ...









